મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આગામી બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષાઓ અંગે….



 

 

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી T.Y.B.A, T.Y.B.Com, M.A. PART-1/2 ને M.Com PART-1/2ની બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષાઓ તા.૧૮-૦૬-૨૦૨૫ થી શરુ થનાર હતી, પરંતુ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કુલપતિશ્રી દ્વારા આ પરીક્ષા તા.૨૩-૦૬-૨૦૨૫ના રોજ લેવા અંગે નિર્ણય કરેલ છે. વધુમા જણાવવાનું કે, પરીક્ષાના સમય અને પરીક્ષા કેન્દ્રમાં કોઈ ફેરફાર કરેલ નથી માત્ર તારીખમાં જ ફેરફાર કરેલ છે.

 

 

  • વિદ્યાર્થીઓને આપવામાં આવેલ સમય પત્રક અને હોલ ટીકીટ રદ ગણવી, રિવાઈઝડ સમય પત્રક તથા હોલ ટિકિટ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકેલ છે.